Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની મોટી હવેલીમાં આજે ઉત્સવ નાયકના ગુણાનુવાદ સભા

જામનગર તા. ૧૯ઃ નિ.લી.પૂ.પા.ગો. ૧૦૦૮ શ્રી વ્રજભૂષણલાલજી મહારાજશ્રી (પૂ. દાદાજી) (જામનગર - ચોપાસની-નડિયાદ)નો ૧૦૪ માં મંગલમય પ્રાગટ્ય ઉત્સવની ઉજવણી શ્રી મોટી હવેલી જામનગરના ગાદીપતિ પૂ.પા.ગો. ૧૦૮ શ્રી હરિરાયજી મહારાજશ્રીની આજ્ઞા અને આશીર્વાદથી તથા પૂ.પા.ગો. શ્રી વલ્લભરાયજી મહોદયશ્રી, પૂ.ગો. શ્રી રસાદ્રરાયજી અને પૂ.ગો.શ્રી પ્રેમાદ્રરાયજીના મંગલ સાનિધ્યમાં કરવામાં આવી રહી છે. જેમાં તા.૧૯-૧ ને ગુરૃવારે સાંજે ૭ વાગ્યે શયન આરતી પછી ઉત્સવ નાયકના ગુણાનુવાદ સભા શ્રી વલ્લભ ચોક, મોટી હવેલી, જામનગરમાં યોજવામાં આવી છે. સર્વે વૈષ્ણવોને આ પ્રસંગે ઉપસ્થિત રહેવા જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh