Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સમયાંતરે શંકાસ્પદ વાયરસથી થતા મૃત્યુ ચિંતાજનકઃ
જામનગર તા. ૭: જામનગરમાં ચાંદીપુરા વાયરસ કાળો કહેર વર્તાવી રહ્યો છે. દર્દીને પૂરતી સારવારની પણ તક મળતી નથી. ધ્રોળની ચાર વર્ષની માસુમ બાળકીને શંકાસ્પદ ચાંદીપુરાના કેસમાં ગત્ રાત્રે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જેનું આજે વહેલી સવારે મૃત્યુ થયું હતું. તેણીના પરીક્ષણનો હજુ રિપોર્ટ મળ્યો નથી.
જામનગરમાં ચાંદીપુરા વાયરસનો વ્યાપ સતત વધી રહ્યો છે. ધ્રોળમાં કાલાવડ રોડ ઉપર રહેતી ચાર વર્ષની બાળકીને ચાંદીપુરાના લક્ષણો જોવા મળતા સારવાર માટે તેણીને ગઈરાત્રે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને તેણીની સઘન સારવાર શરૂ કરી હતી અને જરૂરી નમૂનાઓ લઈ પૃથ્થકરણ માટે લેબેરેટરીમાં મોકલવામાં આવ્યા છે. તેનો રિપોર્ટ ત્રણ-ચાર દિવસ પછી મળનાર છે. આમ સમયાંતરે ચાંદીપુરાના શંકાસ્પદ કેસોમાં મૃત્યુના બનાવો બની રહ્યા છે, જે ચિંતાજનક છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial