Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફલ્લા તા. ૭: ધ્રોળની ઉમસ્યાજી મહિલા કોલેજમાં ભારતીય સંસ્કૃતિ અંગે પ્રેરક પ્રવચન યોજાયું હતું.
જેમાં પ્રિન્સિપાલ જીતેન્દ્રભાઈ બોડાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોનું પુસ્તક અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. ટંકારા આશ્રમના મંત્રી લાલચંદભાઈએ સ્વામીજીનો પરિચય આપ્યો હતો. સ્વામી વિવેકાનંદ પરિવ્રાજકે ચાર વેદો અને ભારતીય સંસ્કૃતિ અંગે પ્રવચન આપ્યું હતું અને કોલેજની ૩૦૦ વિદ્યાર્થિનીઓના અને અધ્યાપકોના પ્રશ્નોના ઉત્તર આપ્યા હતાં. પૂર્વ કોલેક્ટર બી.એચ. ઘોડાસરાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. કેશવજીભાઈ ઘેટિયા, ભીમજીભાઈ કગથરા, રમેશભાઈ વાંસજાળિયા, હીનાબેન કાનાણી, વિજ્યાબેન બોડા, સાગર ભેંસદડિયા, અશોકભાઈ સાપોવડિયા વગેરેએ સંવાદમાં ભાગ લીધો હતો. કોલેજના ડાયરેક્ટર ભગવાનજીભાઈ કાનાણીએ આભારદર્શન કર્યું હતું. સંચાલન પ્રા. ડીમ્પલબેન સોનીએ કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial