Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે દિ' માં ૮૪ ફલેટનું બાંધકામ હટાવી દેતા જગ્યા ખુલ્લી થશે
જામનગરના સાધના કોલોની પાછળના વિસ્તારમાં આજે ત્રણ જર્જરિત બ્લોકને તોડી પાડ્યા માટે મહાનગર પાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ત્રણેય બ્લોકમાં કુલ ૩૬ ફલેટ છે જેને આજે તોડી પાડવામાં આવનાર છે.
જામનગરના સાધના કોલોની પાછળના ન્યૂ સાધના કોલોનીમાં હાઉસિંગ બોર્ડ દ્વારા નિર્માણ કરવામાં આવેલ આવાસો અતિ જર્જરિત હાલતમાં હોવાથી તેને તોડી પાડવા માટે મહાનગર પાલિકા દ્વારા નોટીસો આપવામાં આવી હતી. આ પછી જેમ જેમ ફલેટ ખાલી થતાં ગયા તેમ તેમ ફલેટનું ડિમોલીશન કરવામાં આવી રહ્યું છે. ગઈકાલે બે બ્લોકના બાંધકામને તોડી પાડવામાં આવ્યા પછી આજે ૩૬ ફલેટ ધરાવતા ત્રણ બ્લોકના બાંધકામને તોડી પાડવા માટે આજે સવારથી ઓપરેશન ડિમોલીશન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ માટે જેસીબી સહિતની મશીનરીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગઈકાલ સુધીમાં ૪૮ અને આજના ૩૬ મળી કુલ ૮૪ ફલેટનું બાંધકામવાળી જગ્યા ખુલી થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial