Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ગારા-કીચડ અને ભરાયેલા પાણી વચ્ચે એસટી વર્કશોપની બદતર હાલત..!

જામનગરના એસ.ટી. ડેપો પાસે એસ.ટી.નું વર્કશોપ આવેલું છે. જ્યાં એસ.ટી.ની બસો ડિઝલ ભરાવવા તથા અન્ય નાના-મોટા કામ માટે સતત બસોની અવરજવર રહે છે. આ વર્કશોપ અત્યારે ચારે તરફ ગારા-કીચડ અને પાણી ભારાયેલ હાલતમાં બરાબરનું ફસાઈ ગયું હોય તેવી અત્યંત બદતર હાલત જોવા મળે છે. ચારે તરફ પાણી ભરાયેલા હોવાથી ડ્રાઈવરને બસમાંથી નીચે કયાં ઉતરવું  તે સમસ્યા છે... તો બાકી ચારે તરફ ગારા-કીચડ હોવાથી પણ ભારે પરેશાની થઈ રહી છે. જામનગર મહાનગરપાલિકા અને જિલ્લા આરોગ્ય તંત્ર જાહેર ખબરોમાં અને અખબારી યાદીઓમાં આમ જનતાને સ્વચ્છતા જાળવવા, ભરાયેલા પાણી દૂર કરવા જેવી સુફીયાણી સલાહો આપે છે, પણ શહેરની વચ્ચોવચ્ચ આવેલ એસ.ટી. વર્કશોપમાં ફેલાયેલ ગંદકી, ગારો-કીચડ કે ભરાયેલા પાણી કોઈને દેખાતા નથી ? અત્યારે જામનગર શહેરમાં પાણી જન્ય રોગચાળો ફેલાયો છે, માખી-મચ્છર -જીવાતોનો ઉપદ્રવ વધ્યો છે ત્યારે શહેરની વચ્ચે આવેલ એસ.ટી. વર્કશોપ આસપાસના વિસ્તારોમાં રોગચાળો ફેલાવા માટે નિમિત્ત બની રહ્યું હોય તેમ જણાય છે. એસ.ટી.ના વિભાગીય અધિકારી કે અન્ય કોઈ જવાબદાર દ્વારા એસ.ટી. વર્કશોપમાંથી ગારો-કીચડ દૂર કરી, પાણી દૂર કરી સફાઈ કરાવવા જેટલી દરકાર લેવામાં નિષ્ક્રિય-નિષ્ફળ રહ્યા છે...!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh