Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈન્દિરા રોડ પર તસ્કરનો તરખાટઃ
જામનગર તા. ૭: જામનગરના ઈન્દિરા રોડ પર સાંઢીયા પુલ નજીક વસવાટ કરતા એક રિક્ષાચાલક ગઈકાલે રાત્રે નવેક વાગ્યે પોતાના ઘરમાં જમવા માટે ગયા તે દરમિયાન ૩૦ મિનિટમાં તેમની રૂ. દોઢ લાખની રિક્ષા ચોરાઈ ગઈ છે.
જામનગરના ઈન્દિરા રોડ, સાંઢીયા પુલ પાસે મહાલક્ષ્મી બંગ્લોમાં રહેતા જયદેવસિંહ ખેંગારજી વાઢેર નામના રીક્ષા ચાલક ગઈકાલે પોતાના ઘર પાસે જીજે-૧૦-ટીડબલ્યુ ૬૧૬૦ નંબરની રિક્ષા મૂકીને જમવા માટે ગયા હતા. તેઓ માત્ર ૩૦ મિનિટમાં પરત આવ્યા તે દરમિયાન તેમની રૂ. દોઢ લાખની રિક્ષા કોઈ શખ્સ હંકારી જતાં મોડી રાત્રે જયદેવસિંહે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અજાણ્યા શખ્સ સામે બીએનએસની કલમ ૩૦૩ (ર) હેઠળ ગુન્હો નોંધી પીએસઆઈ એમ.વી. દવેએ તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial