Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જાહેર માર્ગો પર ગટરના ઢાંકણા ગાયબઃ કોઈ પડી જશે તો?
ખંભાળિયા તા. ૭: ગુજરાતમાં ભૂગર્ભ ગટર યોજના દશેક વર્ષ પહેલા એક સાથે દરેક શહેરોમાં લાગુ કરીને કરોડો રૂપિયા શહેર દીઠ ફાળવવામાં આવેલા તથા નીભાવ માટે પણ કરોડોના સાધનો ફાળવાયા, પરંતુ એક જ સાથે ઢગલાબંધ સ્થળે ભૂગર્ભ ગટરનું કામ શરૂ થતા મુખ્ય કોન્ટ્રાક્ટરે પેટા-પેટા પેટાઓને આપવાનું ચાલુ કરતા દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળિયામાં ૪૩ કરોડના ખર્ચે બનેલ ભૂગર્ભ ગટર દસ વર્ષથી ઉપયોગ વગરની અને બંધ છે. તેવી જ સ્થિતિ દ્વારકા જિલ્લાના તાલુકા કક્ષાના શહેર કલ્યાણપુરની થઈ છે.
કલ્યાણપુર શહેરના મુખ્ય રસ્તાઓ પર ભૂગર્ભ ગટરના મેઈન ઢાંકણા ગાયબ થઈ જવા તથા અનેક લોકોએ ચાલુ ના હોય તેવી આ ગટરોમાં પોતાના ઘરના ગંદકી નિકાલના જોડાણ કરી નાખતા અનેક સ્થળે ગંદા પાણી રસ્તા પર વહેતા થવા લાગ્યા હોય, તૂટેલા ઢાંકણાવાળી ગટરમાં કોઈ વાહનચાલકે નાના બાળકો પડે કે હાલ ચાંદીપુરા રોગ ફેલાયો છે, ત્યારે ગંદા પાણી ફેલાતા મચ્છરો-માખીના ઉપદ્રવની જાણે તંત્ર રાહ જોતું હોય તેમ આમંત્રણ આપતી ઢાંકણા વગરની ગટરો ગંદા વહેતા પાણી ભારે ટીકાપાત્ર બન્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial