Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયામાં ભારે વરસાદના કારણે
ખંભાળિયા તા. ૭: ખંભાળિયા શહેરી વિસ્તારમાં ભારે વરસાદ શરૂઆતમાં જ ચોમાસામાં પડતા હાલ શહેરના અનેક રસ્તાઓ કે જ્યાં વર્ષોથી નવા બનાવાયા નથી અને ક્યાંક બનાવાયા છે તેમાં ગુણવત્તા વગરના હોય, તૂટી જતાં ખાડા-ગાબડા પડતા ચોમાસામાં તેમાં પાણી ભરાતા લોકો તથા વાહનચાલકોની પરેશાની ખૂબ જ વધી છે. ખંભાળિયામાં ચાર રસ્તાથી જડેશ્વર રોડ લાખોના ખર્ચે નવો બનાવાયો, પરંતુ જડેશ્વર પાસેની આગળ સ્ટેશન સુધી જતા રસ્તા પર મસમોટા ખાડા પડેલા છે, તો બસ સ્ટેશન રોડ નબળો બન્યો હોય, તેના પરનું રીકારપેટીંગ પણ નબળું થતાં તથા બસ જેવા મોટા વાહનો રોજ નીકળતા હોય ત્યાં પણ મોટા ખાડા પડી ગયા છે, તો રામનાથ મંદિર રોડ પર ગામમાં પ્રવેશતા જ ખંભાળિયાની હદ શરૂ થવાના બોર્ડ સાથે લોકોને ખાડા દ્વારા હદ શરૂ થવાનો અનુભવ થાય તેવા ખાડા પડેલા હોય, ટુ વ્હીલર તો ઠીક પણ રિક્ષામાં જનારા લોકો આ રસ્તા પરથી નીકળતા સાંધા ઢીલા થઈ જાય તેવું થાય છે. આ ઉપરાંત આવી જ સ્થિતિ બજાણા રોડ પર દેના બેંક પાસેથી જોધપુર ગેઈટ તરફ જતા રસ્તાની હોય, તાજેતરમાં મુખ્યમંત્રી દ્વારા ચોમાસામાં નુક્સાન પામેલા રસ્તાઓ માટે લાખો રૂપિયા સમગ્ર રાજ્યમાં દરેક ન.પા.ને આપ્યા છે ત્યારે આ ખાડાવાળા રસ્ત રીપેરીંગની માંગ ઊઠી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial