Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસે મૃતકના પુત્રનું નિવેદન નોંધી તપાસ હાથ ધરીઃ
જામનગર તા. ૭: જામનગરના રામેશ્વરનગર પાછળ નંદન પાર્કમાં પુત્રના ઘેર રોકાવવા આવેલા પિતાએ તમામ પરિવારજનો પ્રસંગમાં ગયા પછી કોઈ અકળ કારણથી પંખામાં સાડી વડે ગળાફાંસો ખાઈ લેતાં તેઓનું મૃત્યુ નિપજ્યું છે. પુત્રએ પોલીસને જાણ કરી છે.
જામનગરના રામેશ્વરનગર વિસ્તાર પાછળ આવેલા નંદન પાર્કની શેરી નં.૧માં રહેતા કુલદીપસિંહ નરેન્દ્રસિંહ ચુડાસમા નામના આસામીને ત્યાં તેમના પિતા નરેન્દ્રસિંહ સદુભા ચુડાસમા (ઉ.વ.૫૦) રોકાવવા માટે આવ્યા હતા.
તે દરમિયાન ગયા રવિવારે કુટુંબમાં યોજાયેલા એક પ્રસંગમાં કુલદીપસિંહ તથા તેમના પરિવારજનો ભાગ લેવા માટે બહારગામ ગયા હતા. પિતા નરેન્દ્રસિંહ પુત્રના ઘેર એકલા હતા. તે દરમિયાન રવિવારે રાત્રે નવથી સાડા અગિયાર વાગ્યા દરમિયાન આ પ્રૌઢે કોઈ અકળ કારણથી મરી જવાનો નિર્ણય કરી પંખામાં સાડી વડે ગાળીયો બનાવી ગળાટૂંપો ખાઈ લીધો હતો. આ પ્રૌઢને નીચે ઉતારી ૧૦૮ મારફત જી.જી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત્યુ પામેલા જાહેર કરતા કુલદીપસિંહે પોલીસને જાણ કરી છે. સિટી બી ડિવિઝનના જમાદાર સોયબ મકવાએ અપ મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial