Advertisement
Author: નોબત સમાચાર

ઓખાના આર.કે. બંદર પર હૃદય બંધ પડી જતાં બે માછીમારના થયા મૃત્યુ

એક માછીમારનું નિદ્રાધીન હાલતમાં જ થયું મૃત્યુઃ

જામનગર તા. ૭: ઓખામાં આવેલા આર.કે. બંદર પર જુદી જુદી બે જેટીમાં લાંગરવામાં આવેલી બે બોટમાં માછીમારી કરવા જતાં એક પ્રૌઢ તથા એક વૃદ્ધના હૃદયરોગના હુમલાથી મૃત્યુ નિપજ્યા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામાં આર.કે. બંદર પાસે હીરાવતી જેટી પર લાંગરવામાં આવેલી અલ-ફૈઝાની નામની બોટમાં સોમવારે રાત્રે જમીને મૂળ સુરત જિલ્લાના વડોલી ગામના વતની માછીમાર લલ્લુભાઈ બાલુભાઈ હડપતી (ઉ.વ.૫૪) બેઠા હતા.

આ વેળાએ તેઓને છાતીમાં દુખાવો ઉપડતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં આ પ્રૌઢનંુ હૃદયરોગના હુમલાથી મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે. હરીલાલ મોતીભાઈ ટંડેલે પોલીસને જાણ કરી છે.

ઓખાના આર.કે. બંદર પર પ્રેમજીભાઈની જેટીમાં શ્રી ગેલ કૃપા-૧ નામની બોટમાં સોમવારની રાત્રે મૂળ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વતની માછીમાર રમણભાઈ ભીખાભાઈ રાઠોડ (ઉ.વ.૬૯) નામના વૃદ્ધ નિદ્રાધીન થયા પછી ગઈકાલે સવારે તેઓ ઉઠ્યા ન હતા. આ વૃદ્ધનું ઉંઘમાં જ હૃદયરોગનો હુમલો આવી જતા મૃત્યુ થયાનું ચંપકભાઈ વાઘજીભાઈ રાઠોડે પોલીસમાં જાહેર કર્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh