Advertisement
Author: નોબત સમાચાર

દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરુ ડો. સૈયદના સાહેબ તારીખ ૧૪-૧પ જાન્યુઆરીના જામનગરમાં...

ઉર્ષમુબારક પ્રસંગે દાઉદી વ્હોરા સમાજના લોકો ઉમટી પડશેઃ

જામનગર તા. ૧૦ઃ દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરુ હીઝ હોલીનેશ ડો. સૈયદના આલીકદર મુફદલ સૈફુદ્દીના સાહેબ (ત.ઉ.સ.) આગામી તા. ૧૪ ના સૈયદ મોહતાબાલા ઈસ્માઈલ બદરૃદ્દીન સાહેબના (રી.અ.) ના ઉર્ષ મુલબારક પ્રસંગે જામનગર આવી રહ્યા છે. શનિવારે મજલીસમાં પધારશે અને તા. ૧પ અને રવિવારે મસ્જિદમાં વાએઝ ફરમાવશે.

આ ઉર્ષ મુબારકમાં દાઉદી વ્હોરા સમાજના લોકો બહોળી સંખ્યામાં જામનગર આવનાર છે. આ માટે જામનગરના બદરી મજારમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ડો. સૈયદના સાહેબ જામનગર આવી રહ્યા હોવાથી દાઉદ્દી વ્હોરા સમાજમાં ખુશીનો માહોલ છવાયો છે.

આ મોકા ઉપર તા. ૧પ થી ૧૭ જાન્યુઆરી સુધી સૈફી બુરહાનીયા એકસ્પો-કાઠિયાવાડનું આયોજન જામસાહેબ પેલેસ ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું છે. ડો. સૈયદના સાહેબ ત્યાં પણ પધારશે.

તા. ૧૭ અને મંગળવારના તેઓ અમદાવાદમાં સૈયદના કુતબુદ્દીન શહીદ (રી.અ.) ના ઉર્ષ મુબારકમાં પધારશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh