Advertisement
Author: નોબત સમાચાર

કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જાંબુડા, ખીજડિયા-શેખપાટ ગામમાં કર્યો લોકસંપર્ક

નાગરિકોના પ્રશ્નો સાંભળી ઉકેલની ખાત્રી

જામનગર તા. ૧૦ઃ કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે શેખપાટ, જાંબુડા અને ખીજડિયા ગામે લોકસંપર્ક કરી લોકોના પ્રશ્નો સાંભળ્યા હતાં અને ઉકેલની ખાત્રી આપી હતી.

રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર તાલુકાના શેખપાટ, જાંબુડા અને ખીજડિયા ગામમાં લોકસંપર્ક યોજી ઉપસ્થિત રહેલ નાગરિકોના પ્રશ્નો તથા રજૂઆતો સાંભળી હતી તેમજ નાગરિકો દ્વારા કરવામાં આવેલ રજૂઆતો ધ્યાને લઈ સત્વરે તે અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે, મંત્રીશ્રી સર્કીટ હાઉસ જામનગર ઉપરાંત ગામડાઓમાં જઈને પણ લોકસંપર્ક કાર્યક્રમનું આયોજન કરે છે. જેમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહે છે.

કૃષિમંત્રી દ્વારા યોજવામાં આવેલ આ લોકસંપર્ક કાર્યક્રમમાં જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં તેમજ તેઓએ પોતાની રજૂઆત મંત્રીશ્રી સમક્ષ મૂકી હતી.

રાઘવજીભાઈનું ઠેર ઠેર લોકોએ ફૂલહારથી ભાવભીનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં આગેવાન મુકુંદભાઈ સભાયા, શરદભાઈ ગઢવી, સૂર્યકાંતભાઈ, ભગવાનજીભાઈ, જીલુભા સોઢા, આજુબાજુના ગામોમાંથી પધારેલા સરપંચો, આગેવાનો અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh