Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુરમાં દરજી પ્રૌઢનો અકળ કારણથી ગળાફાંસો

પંખામાં ચંંૂદડી બાંધી કરી આત્મહત્યાઃ

જામનગર તા.૧૦ ઃ જામજોધપુરમાં વસવાટ કરતા એક દરજી પ્રૌઢે ગઈકાલે પોતાના ઘરે અકળ કારણથી ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો છે. પોલીસે તેમના પત્નીનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી કરી છે.

જામજોધપુર શહેરમાં દરબારગઢ વિસ્તારમાં રહેતા અને દરજીકામ કરતા વિપુલભાઈ કાંતિલાલ ગોહેલ નામના બાવન વર્ષના પ્રૌઢે ગઈકાલે સવારે પોતાના ઘરે કોઈ ન હતું ત્યારે ઓરડામાં રહેલા પંખામાં ચુંદડી બાંધી ગાળિયો બનાવી ગળાફાંસો ખાઈ લીધો હતો.

જેની બપોરે બારેક વાગ્યે ઘેર આવેલા તેમના પત્ની રીટાબેનને જાણ થતાં તેઓએ પોલીસને વાકેફ કરી હતી. દોડી આવેલા પોલીસ કાફલાએ વિપુલભાઈને નીચે ઉતારી ચકાસતા તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. પોલીસે રીટાબેનનું નિવેદન નોંધી મૃતદેહનો કબજો સંભાળ્યો છે અને આ પ્રૌઢની આત્મહત્યા પાછળનું કારણ જાણવા તપાસ શરૃ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh