Advertisement
Author: નોબત સમાચાર

ભાટીયા ગામના કેસરીયા તળાવને બ્યુટીફિકેશન કરવા અંગે કરાઈ રજુઆત

જિલ્લા પંચાયત સભ્ય દ્વારા

જામનગર તા. ૧૦ઃ જામકલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામની ૩૦ હજારની વસ્તી માટે ઉપયોગી એવા કેસરીયા તળાવનું બ્યુટીફિકેશન કરવા માટે સરકાર સમક્ષ રજુઆત કરવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના કોંગ્રેસના સદસ્ય અરવિંદભાઈ કરસનભાઈ આંબલીયાએ કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાને પત્ર પાઠવી રજુઆત કરી છે કે કલ્યાણપુરના દરેક ગામનું વ્યાપારનું કેન્દ્ર ભાટીયા છે. ભાટીયામાં ફરવાલાયક કોઈ સ્થળ નથી જ્યારે કેસરીયા તળાવ ગામની વચ્ચે આવેલ હોય અહીં બે મંદિર પણ છે. તળાવની પાળે વોક-વે પણ બનાવાયો છે. તેની બન્ને સાઈડ કટીંગ, પેવર બ્લોકનું તેમજ સ્ટ્રીટલાઈટની સુવિધાઓ સાથે બેસવા માટે બાંકડાની અને સીસીટીવી કેમેરાની સુવિધા સાથે તળાવને સુશોભિત કરી તેમજ વૃક્ષોનું વાવેતર પણ કરવું જોઈએ જેથી લોકોને સુવિધા મળી રહે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh