Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્લોટ બાબતે માથાકૂટ પછી થયો હતો પથ્થરમારોઃ
જામનગર તા.૧૦ ઃ કલ્યાણપુરના રાણ ગામમાં જમીનના પ્લોટના મુદ્દે રવિવારે સતવારા તથા દલિત જૂથ વચ્ચે પથ્થરમારો થયા પછી બંને જૂથે ફરિયાદ નોંધાવતા પોલીસે કુલ પાંત્રીસેક જેટલા શખ્સો સામે ગુન્હો નોંધ્યો હતો. તેમાંથી એક જૂથના વીસ શખ્સની ધરપકડ કરવામાં આવી છે.
કલ્યાણપુર તાલુકાના રાણ ગામમાં રવિવારે સાંજે જમીનના એક પ્લોટના મુદ્દે સતવારા-દલિત જૂથ વચ્ચે ઝઘડો થયા પછી પથ્થર-લાકડીનો છૂટથી ઉપયોગ થયો હતો. આ અંગે બંને પક્ષે પોલીસમાં ફરિયાદ કરી હતી. જેમાં રાણના મેઘાભાઈ પૂંજાભાઈ વાઘેલાએ સામા જૂથના ત્રેવીસથી અઠ્યાવીસ માણસો સામે રાવ કરી હતી.
તેની સામે રાણ ગામના લાલાભાઈ શામજીભાઈ રાઠોડે મેઘાભાઈ સહિતના બારેક માણસો સામે હુમલાની ફરિયાદ નોંધાવી હતી.
તે ગુન્હામાં તપાસનીશ ડીવાયએસપી એસ.એચ. સારડાએ સતવારા જૂથના વીસ શખ્સની ધરપકડ કરી છે. સામા પક્ષના પણ આરોપીઓને પકડી પાડવા તજવીજ કરાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag