Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૦ઃ જામનગરના મહાલક્ષ્મી ચોક કન્યા શાળામાં ગત્ રવિવારે શિવ મિત્ર મંડળ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ અને આયુષ્માન કાર્ડ કાઢી આપવા માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને રિવાબા જાડેજા ઉપરાંત મેયર બીનાબેન કોઠારી વગેરેના હસ્તે દીપપ્રાગટ્ય કરીને કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ કેમ્પમાં અનેક દર્દીઓએ લાભ મેળવ્યો હતો.
શિવ મિત્ર મંડળના પ્રમુખ મેહુલ પંડ્યા અને તેમના ગ્રુપના સભ્યો દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં કોર્પોરેટરો નિલેશ કગથરા, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, ધિરેનભાઈ મોનાણી, પૂર્વ મેયર અમીબેન પરીખ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ કેમ્પમાં જી.જી. હોસ્પિટલના તબીબોએ સેવા આપી હતી. જેનો વિશાળ સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag