Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઘરમાં ઘૂસી મહિલાઓ સાથે કર્યું બીભત્સ વર્તનઃ
જામનગર તા.૧૦ ઃ દ્વારકા નજીકના નાગેશ્વર મંદિરના પૂજારી પર ગઈકાલે દોઢ ડઝનથી વધુ શખ્સોએ લાકડી, ધોકા વડે હુમલો કરી જીવલેણ માર માર્યાે હતો. આ ટોળાએ પૂજારીના ઘરમાં ઘૂસી મહિલાઓ સાથે પણ બીભત્સ વર્તન કર્યું હતું અને તેમને પણ માર માર્યાે હતો. પોલીસે પૂજારીના પુત્રની ફરિયાદ પરથી ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૃ કર્યાે છે.
દ્વારકાથી ઓખા વચ્ચેના ધોરીમાર્ગ ૫ર આવેલા નાગેશ્વર મહાદેવ મંદિરમાં સેવા૫ૂજા કરતા નયનભારથી હરીશભારથી ગોસ્વામીએ મીઠાપુર પોલીસ સ્ટેશનમાં નાગેશ્વર ગામના રાયાભા કનુભા વાઘેર સહિતના અઢારથી ઓગણીસ વ્યક્તિઓ સામે જીવલેણ હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ છે. તેઓએ ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઈકાલે બપોરે તેમના પિતા હરીશભારથીને ફોન પર શૈલેષભા કનુભા, રાણાભા કાળુભાએ ગાળો ભાંડ્યા પછી રાયાભાએ લાકડી વડે જીવલેણ હુમલો કરી માથામાં ઘા માર્યા હતા. તેમની સાથે અન્ય શખ્સો પણ ધસી આવ્યા હતા અને તેઓએ ધોકા સાથે નયનભારથીના ઘરમાં ઘૂસી તેમના પત્ની પર નિર્લજ્જ હુમલો કર્યાે હતો. વચ્ચે પડનાર માતા અલ્કાબેન, કાકી ચેતનાબેનને પણ આડેધડ માર મારવામાં આવ્યો હતો.
ઉપરોક્ત બનાવ પછી પોલીસે મામલા પર કાબૂ મેળવવા માટે દોડધામ કરવી પડી હતી. તકેદારીના પગલાં રૃપે મંદિરની બહાર આવેલી કેટલીક દુકાનો બંધ કરાવવી પડી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag