Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૦ઃ ખંભાળીયામાં બે દિવસ માટે અખિલ ગુજરાત અંધજન ચેસ સ્પર્ધાનું આયોજન નવી લોહાણા મહાજન વાડીમાં કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતમાંથી અંધજન ચેસ ખેલાડીઓ ભાગ લેવા આવ્યા હતાં.
આ સ્પર્ધા કુલ સાત રાઉન્ડમાં યોજાઈ હતી. જેમાં સાતમો રાઉન્ડ ફાયનલનો રમાયો હતો. આ સ્પર્ધાની શરૃઆત અંધજન મંડળના પ્રમુખ રમેશભાઈ લાલ, અધ્યક્ષ ધીરેનભાઈ બદીયાણી, મહામંત્રી પુરૃષોત્તમ નકુમ દ્વારા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં અંધજન દિનમાં ફાળો આપનાર સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટના પરાગભાઈ બરછાનું સન્માન કરવામાં આવ્યું હતું. ઈન્દ્રજીતસિંહ પરમાર, નિતેશભાઈ ગોંડલીયા, ભમબા૫ુ લાયન્સ પ્રમુખ વિનુભાઈ બરછા, મહેન્દ્રભાઈ જોશી, હાડાભા જામ, વ્યાયામ શિક્ષકો ભીમશીભાઈ ગોજીયા, માલદેભાઈ, નેભાભાઈ, વજશીભાઈ ગોજીયા, હીરપરાભાઈ વિગેરે મદદરૃપ થયા હતાં. અંધજન બહેનોએ નોંધપાત્ર સંખ્યામાં ભાગ લીધો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag