Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે કાઈટ મેકિંગ વર્કશોપ યોજાયો

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજ્વણીના ભાગરૃપે પુરાત્ત્વીય સંગ્રહાલય દ્વારા

'આઝાદી કા અમૃત મહોત્સવ' ની ઉજવણીના ભાગરૃપે રાજ્ય સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા પુરાતત્ત્વ અને સંગ્રહાલય ખાતાં હેઠળ સમાવિષ્ટ પુરાતત્ત્વીય સંગ્રહાલય, જામનગરમાં આગામી 'ઉત્તરાયણ પર્વ' ને ધ્યાને રાખીને પતંગ બનાવવાના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ગત તા. ૦૮ જાન્યુઆરીના યોજાયેલા આ કાઇટ મેકિંગ વર્કશોપમાં ૦૭ થી ૧૪ વર્ષ વયજૂથમાં આવતા કુલ ૨૨ બાળકોએ ભાગ લીધો હતો. સંગ્રહાલયના ક્યુરેટરશ્રી ડો. ધીરજ ચૌધરી દ્વારા 'ઉત્તરાયણનું મહત્ત્વ' આ વિષય પર રસપ્રદ જાણકારી આપવામાં આવી હતી. તેમજ કુમારી શ્રી સેજલબેન આશર દ્વારા બાળકોને વિવિધ પ્રકારના પતંગો બનાવતા તાલીમ આપવામાં આવી હતી. આ વર્કશોપમાં પતંગમાં વપરાતા જુદા-જુદા પ્રકારના પેપરો, પ્લાસ્ટિક, સ્ત્રો (પ્લાસ્ટિક સ્ટીક), બામ્બુ સ્ટિક વગેરેનો ઉપયોગ કરીને વેસ્ટ માંથી બેસ્ટ પતંગો તેમજ વિવિધ ભાત દર્શાવતા પતંગો બાળકો દ્વારા બનાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત બાળકો દ્વારા પક્ષી, ઓરિજિમ પ્રિન્ટ અને સ્મોલ પતંગ પણ બનાવવામાં આવી હતી. બાળકોને માર્ગદર્શન સંગ્રહાલયના કર્મચારી શ્રીમતી પ્રીતિ પાંડેએ આપ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી કાનારાધવ ઠુંગા અને શ્રી નરેશભાઈ ગુજરીયાએ જહેમત ઉઠાવી હતી, તેમ ક્યૂરેટર શ્રી ડો. ધીરજ વાય. ચૌધરી, (પુરાતત્ત્વીય સંગ્રહાલય, જામનગર) એ જણાવ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh