Advertisement
Author: નોબત સમાચાર

લોકભારતી યુનિ.ના કુલપતિ ડો. ભદ્રાયુ વછરાજાની દ્વારા 'કેળવણી મહિમા'

અલિયાબાડા બી.એડ્. કોલેજનો ષષ્ટિપૂર્તિ ઉત્સવઃ

જામનગર તા.૧૦ ઃ તાજેતરમાં અલિયાબાડાના દરબાર ગોપાલદાસ શિક્ષણ મહાવિદ્યાલયના ષષ્ટિપૂર્તિ વર્ષની ઉજવણી પ્રસંગે આયોજિત વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત તૃતીય વ્યાખ્યાનકાર તરીકે લોકભારતી યુનિવર્સિટીના કુલપતિ તથા પ્રસિદ્ધ કેળવણીકાર પ્રો. ભદ્રાયુ વછરાજાનીના વકતવ્યનો કાર્યક્રમ યોજાયો હતો. તેમણે 'કેળવે તે કેળવણી' વિષય પર કેળવણીની સંકલ્પના અને જરૃરિયાત સંદર્ભે અનેક વ્યવહારૃ ઉદાહરણ સાથે પ્રેરક વકતવ્ય આપ્યું હતું. કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટી આશર, આચાર્યા, ડો. રૃપલબેન માંકડ તથા સંસ્થાના સભ્યો અને અન્ય અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh