Advertisement
Author: નોબત સમાચાર

હાપાથી મેરઠ યુપીની ટ્રેન રદ થતા તમામ મુસાફરો માટે રાત્રિ ભોજન-ઉતારાની વ્યવસ્થા

મુસાફરો માટે જલારામ સેવા ટ્રસ્ટ સહાયક બન્યુંઃ

જામનગર તા. ૧૧ઃ જામનગરના હાપા સ્થિત જલારામ સેવા ટ્રસ્ટ, તેમજ પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર હોલ તેમજ જલારામ મંદિર હાપા દ્વારા ગઈકાલે તા. ૧૦.૦૧.૨૦૨૩ ના યુપી મેરઠ ની ટ્રેન રદ થવાથી માનવતાના સાદરૃપે મુશ્કેલીમાં આવી ગયેલા પરિવાર સાથેના યાત્રીઓની મદદ કરવા જામનગર એસ ટી બસ સ્ટેશનના ટ્રાફિક કંટ્રોલર નવીનભાઈ હરવરાનો કોલ આવ્યો હતો. રાત્રે ૧૧ઃ૩૦ વાગ્યે જલારામ સેવા ટ્રસ્ટની અનેક સેવાકીય પ્રવૃત્તિમાં સદાય હાજર થનાર રમેશભાઈ દતાણીએ મોબાઈલ કરીને જાણકારી આપી હતી. જેથી જલારામ સેવા ટ્રસ્ટના કાર્યકરો રાજુભાઈ હિંડોચા, વિરલભાઈ સોની, ભાવેશભાઈ તન્ના સાથે જલારામ સેવા ટ્રસ્ટના વિજયભાઈ કોટક, અનિલભાઈ ચાવડા તેમજ નિરંજનભાઈ હાજર રહ્યા હતા અને તમામ યાત્રીઓને જામનગર શહેરમાંથી જલારામ સેવા ટ્રસ્ટ ના હોલ હાપામાં લઈ ગયા હતા અને રાત્રિ ભોજનની વ્યવસ્થા કરી આપી હતી. તેમજ ઉતારાની વ્યવસ્થા કરવા માટે તમામ કાર્યકરો હાજર થઈ ગયા હતા. દરમિયાન આ યાત્રીઓએ પોતાની લાગણી વ્યક્તિ કરીને જલારામ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh