Advertisement
Author: નોબત સમાચાર

રેલવે ટ્રેક પર ઝંપલાવી લેનાર યુવકની પોલીસને મળી ઓળખ

ગઈકાલે બન્યો હતો બનાવઃ

જામનગર તા.૧૧ ઃ જામનગરના અંધાશ્રમ ઓવરબ્રિજ નીચે ગઈકાલે બપોરે એક યુવાને રેલવે ટ્રેક પર ઝંપલાવી લીધુ હતું. મૃતકની પોલીસને ઓળખ મળી છે.

જામનગરના અંધાશ્રમ ઓવરબ્રિજ નજીક આવેલા રેલવે ટ્રેક પર ગઈકાલે એક યુવાને ટ્રેન આવી ત્યારે ઝંપલાવી લઈ આત્મહત્યા કરી લીધી હતી. મૃતકની ઓળખ મેળવવા પોલીસે તપાસ શરૃ કરી હતી.

તે પછી મૃતક ગોકુલનગર પાસે સરદારનગરની શેરી નં.૬માં રહેતા વિજયભાઈ હસમુખભાઈ નામના સુથાર યુવાન હોવાનું ખૂલ્યું છે. તેમના પિતા હસમુખભાઈ કાંતિભાઈ ધ્રાંગધરીયાએ મૃતદેહને ઓળખી બતાવ્યો હતો. પોલીસ દ્વારા તપાસ યથાવત રાખવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh