Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.૧૧: જામનગરના નવાબંદર પર ગઈકાલે એક યુવાનનું મ્હોંમાં ફીણ આવી ગયા પછી મૃત્યુ થયું છે. જ્યારે દરેડમાં કારખાનામાં એક કામદારને ખેંચ આવી જતાં તેમના પર કાળનો પંજો પડ્યો છે.
જામનગરના નવાબંદરમાં જીએમબીની કચેરીમાં નોકરી કરતા વસરામભાઈ સવદાસ મકવાણા નામના યુવાન ગઈકાલે સાંજે નોકરી પર હતા ત્યારે અચાનક જ મ્હોંમાં ફીણ આવી જતાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત્યુ પામેલા જાહેર કરતા સાગર મકવાણાએ પોલીસને જાણ કરી છે.
જામનગરની શંકરટેકરીમાં શાસ્ત્રીનગરમાં રહેતા પૃથ્વીરાજ ઘનશ્યામસિંહ ચૌહાણ નામના યુવાન ગઈકાલે દરેડમાં યુનાઈટેડ નામના કારખાનામાં કામ પર હતા ત્યારે ખેંચ આવી જતાં ઢળી પડ્યા હતા. આ યુવાનનું મૃત્યુ થયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag