Advertisement
Author: નોબત સમાચાર

ગરીબ વૃદ્ધને બીપીએલ કાર્ડ ન હોય તો પણ પેન્શન સહાય આપવી જોઈએ

કોંગી કોર્પોરેટર દ્વારા જિલ્લા કલેકટરને રજૂઆતઃ

જામનગર તા. ૧૧ઃ જે લોકો પાસે બીપીએલ કાર્ડ નથી તેવા ગરીબ વૃદ્ધને પેન્શન સહાય આપવી જોઈએ તેવી રજૂઆત સરકાર સમક્ષ કરવામાં આવી છે.

જામનગરનાં કોંગ્રેસનાં કોર્પોરેટર રચનાબેન નંદાણીયાની આગેવાનીમાં મુખ્યમંત્રીને ઉદ્દેશીને લખવામાં આવેલ આવેદન પત્ર જામનગર જીલ્લા કલેકટરને પાઠવાયુ હતું. જેમાં કરવામાં આવી હતી કે, બી.પી.એલ કાર્ડ ધરાવતા વુદ્ધોને પેન્શન સહાય આપવામાં આવે છે. પરંતુ ગરીબ હોય, કોઈ કમાનાર ન હોય અને જો તેમની પાસે બી.પી.એલ કાર્ડ ન હોય તો પેન્શન સહાય મળતી નથી.

હાલ બી.પી.એલ કાર્ડ આપવામાં આવતા નથી. કાર્ડ છે પરંતુ રદ કરવામાં આવેલ છે, આવા અનેક લોકો બે સહાય છે. તેમને ખરેખર પેન્શન સહાયની જરૃર છે.

ઉંમર મોટી હોવાથી તેઓ કામ પણ કરી શકતા નથી. આથી બીપીએલ કાર્ડ ન હોય તેવા ગરીબ વૃદ્ધોને પણ પેન્શન સહાય આપવી જોઈએ.

રચનાબેન નંદાણીયાએ પાઠવેલ આવેદન પત્ર સમયે મહાનગર પાલિકાનાં વિપક્ષનાં નેતા ધવલ નંદા, ઉપનેતા રાહુલ બોરીયા, કોર્પોરેટર જેનબબેન ખફી, પૂર્વ વિપક્ષી નેતા આનંદ ગોહિલ વગેરે જોડાયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh