Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બપોરે સાડા ત્રણ વાગ્યે જામનગરથી ઉપડતી
જામનગર તા. ૧૧ઃ જામનગરથી બપોરે સાડાત્રણ વાગ્યે ઉપડતી જામનગર-અલીયાબાડા એસટી બસ લોકડાઉન પછી પુનઃ શરૃ નહીં થતાં લોકો પરેશાન છે અને કેટલાક તર્ક-વિતર્કો થઈ રહ્યા છે.
લોકડાઉન સમયે બંધ કરાયેલા લગભગ તમામ બસરૃટો શરૃ થઈ ગયા છે પરંતુ જામનગરથી અલિયાબાડા માટે બપોરે સાડાત્રણ વાગ્યે ઉપડતી બસ હજુ પણ શરૃ થઈ નહીં હોવાથી લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આ એસ.ટી. બસ ઘણાં વર્ષોથી ચાલી રહી હતી અને તેમાં વેપારીઓ-શ્રમિકો, વિદ્યાર્થીઓ અને સામાજિક-વ્યવહારિક કામે પ્રજાજનો નિયમિત મૂસાફરી કરતા હતાં. હવે આ રૃટના લોકોને બપોરે ના છૂટકે ખાનગી વાહનોમાં વધુ ભાડુ ચુકવીને અસુરક્ષિત મુસાફરી કરવી પડી રહી છે.
આ અંગે એસ.ટી. ના ડેપો મેનેજર સહિતના અધિકારીઓને લોકોએ વારંવાર રજુઆતો કરી છે અને વિવિધ માધ્યમો દ્વારા રાવ ઉઠતી રહી છે તેમ છતાં હજુ કોઈ અકળ કારણોસર આ બસ રૃટ શરૃ કરવામાં આવી રહ્યો નથી. આ બસરૃટ ચાલુ કરાવવા માટે જિલ્લા અને રાજ્યમાં ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ, શાસક પક્ષ-વિપક્ષના નેતાઓ તથા ખાસ કરીને એસ.ટી.ના મુસાફરો સાથે સંકળાયેલી સમિતિઓએ ભારપૂર્વક રજુઆતો કરી છે. લોકોને આ વિકટ સમસ્યાને ઝડપથી નિવારવવી જોઈએ, તેવી માંગણી ઉઠી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag