Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.૧૧: જામનગરના એક આસામીએ પોતાની મર્સીડીઝ મોટરમાં થયેલી નુકસાની અંગે વીમા કંપની પાસે વળતર માગ્યા પછી ગ્રાહક તકરાર ફોરમમાં ધા નાખી હતી. ફોરમે વ્યાજ સાથે વળતર ચૂકવવા હુકમ કર્યાે છે.
જામનગરના મનસુખભાઈ પરસોત્તમ ફળદુ નામના આસામીએ પોતાની કિંમતી મોટર માટે ઈફ્કો ટોકિયો જનરલ ઈસ્યુરન્સ કંપની પાસેથી વીમો મેળવ્યો હતો. વીમા કંપનીએ રૃા.૭૫,૪૦૦નું પ્રિમિયમ મેળવી રૃા.૧૭,૫૬,૦૭૩ની રકમની પોલિસી આપી હતી. તે પછી સસોઈ ડેમ પાસે પડેલી તે મોટરમાં કોઈ શખ્સે નુકસાન સર્જતા વીમા કંપની પાસેથી રૃા.૧૧,૯૫,૨૦૬ના વળતર માટે કલેઈમ કરાયો હતો.
આ કલેઈમ વીમા કંપનીએ નહીં ચૂકવતા નોટીસ પાઠવાયા પછી વીમા કંપની સામે જિલ્લા ગ્રાહક તકરાર ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. તે ફરિયાદ ચાલી જતાં ફોરમના પ્રમુખ તથા સભ્યએ રૃા.૯,૫૧,૨૧૦ની રકમ સાત ટકા વ્યાજ તથા ફરિયાદ ખર્ચ, ત્રાસના વળતરની રકમ અલગથી ચૂકવવા વીમા કંપનીને હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ વસંત ગોરી, દીપક નાનાણી, નેહલ સંચાણીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag