Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સલાયા તા. ૧૦ઃ સલાયામાં માછીમાર સમાજની જિલ્લા સ્તરની બેઠક યોજાઈ હતી. જેમાં પોરબંદર, જખૌ, જામનગર, સોમનાથ, વેરાવળ, કચ્છ, મુંદ્રા વગેરે બંદરોના આગેવાન માછીમારો ઉપસ્થિત રહ્યા હતા. સલાયાના માછીમારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આ બેઠકમાં ડીઝલ પર મળતી સબસીડી, ડીઝલ પર રોડ ટેક્સમાં માફી, દરિયા કિનારે પ્રદુષણ દૂર કરવા જેવા પ્રશ્નોની ચર્ચા થઈ હતી. માછીમાર સમાજના સંતાનોના શિક્ષણ માટે જરૃરી પગલાં લેવા વિચારણા થઈ હતી. મિટિંગનું આયોજન સલાયાના સીદીકભાઈ જસરીયા, નજીરભાઈ જસરીયા તથા માછીમારોએ કર્યું હતું. ગુજરાત સંગઠનના કન્વીનર ઉસ્માનભાઈએ માછીમારોને પડતી મુશ્કેલીઓની વિગતો આપી હતી. વિવિધ સંસ્થાના આગેવાનો, ન.પા. પ્રમુખ, જમાતના પ્રમુખો હાજર રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag