Advertisement
Author: નોબત સમાચાર

ખર્ચના હિસાબો સમયસર રજુ નહીં થતા જામનગર જિલ્લાના આપ, અપક્ષ, સપાનો ઉમેદવારોને નોટીસ

વિધાનસભાની ચૂંટણી પછી

જામનગર તા. ૧૧ઃ તાજેતરમાં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. જેમાં જામનગરના ત્રણ ઉમેદવારોએ સમયસર ખર્ચના હિસાબ રજુ નહીં કરતા તેમને નોટીસ પાઠવવામાં આવી છે. જામનગર જિલ્લાની પાંચ બેઠકો માટે ૪પ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતાં. તેમાંથી જામનગર-દક્ષિણ બેઠકના આપના ઉમેદવાર વિશાલ ત્યાગી, એક અપક્ષ ઉમેદવાર તેમજ જામજોધપુર બેઠકના સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અલીમામદ પલેજાએ સમયસર હિસાબો રજુ નહીં કરતા તેમને તંત્ર દ્વારા નોટીસ પાઠવવામાં આવી છે.

ચૂંટણી પહેલા તમામ ઉમેદવારોને તાલીમ આપવામાં આવી હતી અને ખર્ચના હિસાબો રજુ કરવાનું કહ્યું હતું. જો કે બીજા લગભગ તમામ પાર્ટીના ઉમેદવારોએ સમયસર હિસાબો રજુ કર્યા છે. તેમાં મહત્તમ ખર્ચ ર૩ લાખનો રજુ કરાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh