Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.૧૧ ઃ જામનગરના દારૃબંધી ભંગના એક ગુન્હામાં છએક મહિનાથી નાસતા ફરતા સુરેન્દ્રનગર જિલ્લાના શખ્સને એસઓજીએ પકડી પાડ્યો છે.
જામનગરના સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગયા વર્ષે દારૃબંધી ભંગનો એક ગુન્હો નોંધાયો હતો. તે ગુન્હામાં સુરેન્દ્રનગર જિલ્લાના બજાણા ગામના સાહિલ સુભાષભાઈ બ્લોચનું નામ ખૂલ્યું હતું ત્યારથી આ શખ્સ પલાયન થઈ ગયો હતો. ઉપરોક્ત આરોપી ગુરૃદ્વારા ચોકડી પાસે એક ગેરેજ નજીક આવ્યો હોવાની બાતમી એસઓજીના રાયદેભાઈ ગાગીયા, લાલુભા જાડેજાને મળતા પીઆઈ બી.એન. ચૌધરીને વાકેફ કરાયા પછી પીએસઆઈ જે.ડી. પરમારના વડપણ હેઠળ ત્યાં ધસી ગયેલા એસઓજી સ્ટાફે આરોપીની અટકાયત કરી તેનો કબજો સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag