Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગયા સપ્તાહે પરિણીતાએ ખાધો હતો ગળાફાંસોઃ
જામનગર તા.૧૧: જામનગરની એક ભાનુશાળી પરિણીતાને દહેજ બાબતે ત્રાસ આપી મરી જવા મજબૂર કર્યાની પોલીસમાં ફરિયાદ થયા પછી પોલીસે આરોપી પતિ, સાસુ, સસરા, નણંદની ધરપકડ કરી હતી. તેમાંથી નણંદે જામીન મુક્ત થવા કરેલી અરજી અદાલતે ગ્રાહ્ય રાખી છે.
જામનગરના ૫વનચક્કી વિસ્તારમાં આવેલી ભાનુશાળી જ્ઞાતિની જૂની વાડી નજીક રહેતા સપનાબેન ચિરાગભાઈ નંદા નામના બાવીસ વર્ષના ભાનુશાળી પરિણીતાએ ગયા બુધવારે બપોરે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. તેણીના માતા નીતાબેન સુનિલભાઈ નાખવાએ પોતાની પુત્રીને જમાઈ ચિરાગ વિમેશભાઈ, સાસુ મિતલબેન વિમેશભાઈ, સસરા વિમેશ રમેશભાઈ તથા નણંદ ચાંદનીબેન વિમેશભાઈએ દહેજ બાબતે ત્રાસ આપી મરી જવા માટે મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવા અંગે ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.
ત્યારપછી આરોપીઓ પૈકીના નણંદ ચાંદનીબેન નંદાએ જામીનમુક્ત થવા અદાલતમાં અરજી કરતા અદાલતે તેણીને જામીન આપ્યા છે. આરોપી તરફથી વકીલ રાજેશ ગોસાઈ, વિશાલ જાની, રજનીકાંત નાખવા રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag