Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.૧૧ ઃ જામનગરમાં હાપામાં આવેલા ગોડાઉનમાંથી એસઓજી સ્ટાફે ચોખાનો ૧૦૫૦ કિલો શક પડતો જથ્થો કબજે કર્યાે છે. જામનગર નજીકના હા૫ામાં આવેલા ગોડાઉનમાં છળકપટ કે ચોરીથી મેળવાયેલા ચોખાના બાચકા રાખવામાં આવ્યા હોવાની બાતમી એસઓજીના અરજણભાઈ, રમેશભાઈ, મયુદ્દીન સૈયદને મળતા પીઆઈ બી.એન. ચૌધરીની સૂચના અને પીએસઆઈ જે.ડી. પરમારના વડપણ હેઠળ એસઓજી સ્ટાફે ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો.
ત્યાંથી ચોખા ભરેલા એક્વીસ બાચકા મળી આવ્યા હતા. ધ્રોલના ઈરફાન રઉફભાઈ ડોસાણી નામના આસામીના ઉપરોક્ત રૃા.૨૧ હજારની કિંમતના ૧૦૫૦ કિલો ચોખા ઝબ્બે લેવામાં આવ્યા છે. એસઓજીએ વધુ તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag