Advertisement
Author: નોબત સમાચાર

સગીરાનું અપહરણ કરી જવા અંગે દ્વારકાના શખ્સ સામે રાવ

ભેદી સંજોગોમાં લાપત્તા બનીઃ

જામનગર તા.૧૧: કલ્યાણપુરના એક ગામમાં વસવાટ કરતા પરિવારની સગીર વયની પુત્રીનું દ્વારકાના શખ્સે અપહરણ કર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના એક ગામમાં વસવાટ કરતા પરિવારની પોણા સત્તર વર્ષની પુત્રી સોમવારની રાત્રે એક વાગ્યાથી મંગળવારની સવાર સુધીમાં ભેદી સંજોગોમાં લાપત્તા બની હતી.

સગીરાની શોધખોળ કરાયા પછી તેમના પરિવારજને તેણીનું લાલચ બતાવી દ્વારકાના મનિષ રમેશભાઈ પરમાર ઉર્ફે મનિયા નામના શખ્સે અપહરણ કર્યાની કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh