Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાધીશ મંદિરમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી

મંદિર ઝળહળ્યુઃ તંત્રે વ્યવસ્થાઓ ગોઠવીઃ પૂજારી વર્ગ-સમિતિ એકશનમાં

ખંભાળીયા તા. ૬ઃ દ્વારકામાં જન્માષ્ટમી ઉત્સવનો પ્રારંભ થયો છે. પૂજારી પરિવાર અને વહીવટી તંત્રએ દર્શન સહિત આવશ્યક સેવાઓની વ્યવસ્થાઓ કરી છે. પોલીસ, એલ.આર.ડી., હોમગાર્ડ સહિતના સોળસો જેટલા જવાનોનો બંદોબસ્ત ગોઠવાયો છે. જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય, એ.એસ.પી. રાઘવ જૈન તથા જગતમંદિરના ડીવાયએસપી સમીર શારડાના માર્ગદર્શનમાં દ્વારકામાં ચુસ્ત બંદોબસ્તની ગોઠવણી કરવામાં આવી છે. જગતમંદિરમાં યાત્રિકોને સાનૂકુળતાથી દર્શન થાય તેમજ દિવ્યાંગ, વયોવૃદ્ધ, બાળકો માટે જલાયદી વ્યવસ્થા સાથેની વ્યવસ્થા ગોઠવાઈ છે. દર વર્ષની જેમ દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ પરંપરાગત રીતે ખૂબ જ ધામધૂમથી રંગેચંગે ઊજવણી થાય તે માટે દ્વારકાધીશ મંદિર દેવસ્થાન સમિતિ અને પૂજારી પરિવાર તથા દ્વારકા નગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા દરેક વ્યવસ્થાઓ અને સેવાઓની કામગીરી વધુ સઘન કરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh