Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દર વર્ષે ૧૫ થી ર૦ લાખની થતી આવક ગામના વિકાસમાં ખર્ચાય છે
ખંભાળીયા તા. ૬ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌથી મોટા તથા સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત ગણાતા ભાદરવા માસની ત્રીજ, ચોથ, પાંચમ, છઠ્ઠના શીરેશ્વર મહાદેવના લોકમેળા માટેની જાહેર હરાજી તા. ૮-૯-ર૦ર૩, શુક્રવારના થશે.
તા. ૧૮-૯-ર૦ર૩ થી તા. ર૧-૯-ર૦ર૩ દરમિયાન ચાર દિવસ સુધી ચાલનારા આ લોકમેળામાં ચકડોળ, રાઈડ્સ, સ્ટોલ તથા પ્લોટ માટેની જગ્યાની હરાજી તા. ૮-૯-ર૦ર૩ ના સવારે ૮.૩૦ કલાકથી શીરેશ્વર મહાદેવના પટાંગણમાં યોજાશે. ગ્રામ પંચાયત કચરેીમાં તેનો નકશો પણ રખાયો છે. તા. ૮-૯-ર૦ર૩ ના બાકી રહેલ પ્લોટની હરાજી તા. ૯-૯-ર૦ર૩ ના સવારે ૧૧ વાગ્યે કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, શક્તિનગર ગ્રામ પંચાયતને પ્રતિ વર્ષ ૧પ થી ર૦ લાખ રૃપિયાની આવક આ લોકમેળામાં થાય છે. જેમાંથી ગ્રામ પંચાયતના વિકાસના કાર્યો થાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial