Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૬ઃ જામનગરના સમર્પણ સર્કલ પાસે ચાલતા મકાનના બાંધકામના સ્થળે સેન્ટીંગનો સળીયો ઉપરથી પસાર થતાં વીજવાયરને અડકી જતાં શોર્ટ લાગવાથી એક શ્રમિકનું મૃત્યુ નિપજ્યું છે.
જામનગરના સમર્પણ સર્કલ પાસે એક મકાનમાં ચાલતા બાંધકામમાં છતનું કામ કરાઈ રહ્યું હતું ત્યારે બેડીના થરી વિસ્તારમાં ફારૃક-એ-આઝમ ચોકમાં રહેતા ગફારભાઈ સીદીકભાઈ મકવાણા નામના યુવાન ગઈ તા.૩ના દિને કામ કરતા હતા. આ વેળાએ તેઓએ સેન્ટીંગ ઉપર ચડાવવા માટે લોખંડનો સળીયો ઉંચક્યો ત્યારે ઉપરથી પસાર થતો જીવંત વીજવાયર સળીયાને અડકી જતાં ગફારભાઈને જોરદાર વીજ આંચકો લાગ્યો હતો. આ યુવાનને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી ફરજ પરના તબીબે મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. કરીમભાઈ જુસબભાઈએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial