Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મહાનગરપાલિકામાં ફૂડ ઈન્સ્પેક્ટરની ભરતી કરવા માંગ

જામનગર તા. ૬ઃ જામનગર મહાનગરપાલિકા પાસે ફક્ત બે ફૂડ ઈન્સ્પેક્ટરો છે. જેની સંખ્યા ઓછામાં ઓછી ૧૦ ની હોવી જોઈએ. માત્ર બે અધિકારી આખા શહેરમાં કેવી રીતે ચેકીંગ કામગીરી કરી શકે?

જામનગર ગ્રાહક સુરક્ષા મંડળના મંત્રી કિશોરભાઈ મજીઠિયાએ મ્યુનિ. કમિશનરને પત્ર પાઠવી રજૂઆત કરતા જણાવ્યું છે કે, જામનગર શહેરની છ લાખથી વધુની વસતિ છતાં ફક્ત બે જ ફૂડ ઈન્સ્પેક્ટરો છે. આથી ભેળસેળ અટકાવવા માટે ખૂટતી કામગીરી થઈ શકતી નથી. વર્ષોથી ફૂડ શાખામાં ભરતી કરવામાં આવી નથી. આમ સ્ટાફના અભાવે ભેળસેળિયાઓ બેકાબૂ બની રહ્યા છે. આથી સત્વરે ૧૦ ઈન્સ્પેક્ટરોની ભરતી કરવી જોઈએ.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh