Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં જુમ્મા મસ્જિદ બોર્ડ સંચાલિત કન્યા શાળામાં બાળકો ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર

રાજ્ય સરકાર અને જિલ્લા શિક્ષણાધિકારીને પત્ર પાઠવાયોઃ

જામનગર તા. ૬ઃ જામનગરમાં જુમ્મા મસ્જીદ બોર્ડ સંચાલિત કન્યા શાળા જગ્યા નજીવા દરે સોંપી આપી નવું બાંધકામ લાંબા સમય સુધી કરવામાં આવ્યું ન હોવાથી બાળકોને ખુલ્લામાં બેસાડી અભ્યાસ કરાવાઈ રહ્યો છે. આ બાબતે રાજ્યના શિક્ષણમંત્રી સમક્ષ રજૂઆત કરાઈ છે.

જામનગરના અબ્દુલા વલીમામદ બ્લોચ તથા યાકુબભાઈએ રાજ્યના શિક્ષણમંત્રી તથા જામનગરના જિલ્લા શિક્ષણાધિકારીને પત્ર પાઠવી રજૂઆત કરતા જણાવ્યું કે શાળાનું બાંધકામ નબળુ થઈ ગયું હોવાથી બાળકોની સલામતી માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાના ભાગરૃપે શાળા સ્થળાંતરની મંજૂરી આપવામાં આવી નહી હોવા છતાં જુમ્મા મસ્જિદ બોર્ડ દ્વારા પોતાના દ્વારા સંબંધિત શાળા ઈમારતનું ડિમોલિશન કરીને ટ્રસ્ટના પ્રમુખે એ જગ્યા પોતાના સમાજને રૃા.૧૫ લાખમાં સોંપી આપી છે અને ખોટા લે-આઉટ પ્લાન અન્ય સ્થળે સ્કૂલનું બાંધકામ કરીશું તેમ જણાવ્યું હતું પરંતુ ૧૧ માસ સુધી નવી શાળા ઈમારત બનાવાઈ નથી.

જે જગ્યા શાળા બાંધકામ માટે દેખાડવામાં આવી છે તે જગ્યા સરકારે ખાલસા કરી નાખી છે. આથી ૧૧ માસથી શાળાને કુમાર શાળામાં જગ્યાના અભાવે ખુલ્લામાં બેસાડી અભ્યાસ કરાવાય છે.

પરિણામે વિદ્યાર્થીની સંખ્યા ઘટી રહી છે. જો કે, શાળા બંધ થાય તેવું પણ સંચાલકો ઈચ્છી રહ્યા છે. આમ સરકારનું બેટી પઢાવ અભિયાન નિરર્થક થાય તેમ જોવા મળે છે. સત્વરે આ અંગે યોગ્ય પગલા લેવા જોઈએ.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh