Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના પાણી પુરવઠા બોર્ડના ગોડાઉનમાંથી વાયરચોરીનો ભેદ ખૂલ્યો

ચોરાઉ કોપર કેબલ સાથે ચાર ઝડપાઈ ગયાઃ

જામનગર તા. ૬ઃ જામનગરના પ્રતાપ વિલાસ પેલેસ પાસેના પાણી પુરવઠા બોર્ડના ગોડાઉનમાંથી વાયર ચોરાઈ ગયો હતો. જેની પોલીસે તપાસ શરૃ કર્યા પછી એક મહિલા સહિત ચારને રૃા.૧,૨૩,૬૦૦ના ચોરાઉ વાયર સાથે પકડી પાડ્યા છે.

જામનગરના પ્રતાપ વિલાસ પેલેસ પાસે આવેલા પાણી પુરવઠા બોર્ડના ગોડાઉનમાંથી ૩૦૨ મીટર જેટલો વાયર કોઈ શખ્સો કાપીને ચોરી કરી ગયા હતા. આ તસ્કરોને પ૦ મીટર લંબાઈનો કોપર વાયર પણ હાથ લાગ્યો હતો. કુલ રૃા.૧,૨૩,૬૦૦ની કિંમતનો કેબલ ચોરાઈ જવા અંગે પાણી પુરવઠા બોર્ડના કર્મચારીએ પોલીસમાં ફરિયાદ કરી હતી.

આ ગુન્હાની સિટી-બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ એચ.પી. ઝાલા તથા સ્ટાફ દ્વારા શરૃ કરાઈ હતી. જેમાં સ્ટાફના ક્રિપાલસિંહ, બલભદ્રસિંહ, મયુરરાજસિંહ, જયદીપસિંહને બાતમી મળી હતી કે, રાજપાર્ક પાસે ચાર વ્યક્તિ વાયરના ગુંચળા સાથે ઉભા છે. તે બાતમીના આધારે દોડી ગયેલી પોલીસ ટીમે ત્યાંથી ધ્રોલના જયસુખ રવજીભાઈ વાઘેલા, સંજય રાયધન વાઘેલા, શૈલેષ નાનજી વાઘેલા, રમાબેન રાજુભાઈ વાજીલીયા નામના ચાર વ્યક્તિને પકડી પાડ્યા હતા.

આ વ્યક્તિની પૂછપરછ કરાતા તેઓએ ઉપરોક્ત ચોરીની કબૂલાત આપી ચોરાઉ વાયર કાઢી આપ્યો છે. પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી આરોપીની પૂછપરછ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh