Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ક્ષત્રિય મહાસભા દ્વારા કહેવાતા સંતોના બફાટનો વિરોધઃ
જામનગર તા. ૬ઃ ગેબી પરંપરા તેમજ નાથ સંપ્રયદાયની લાગણી દુભાય તેવા ઉચ્ચારણોથી બફાટ કરનાર સ્વામિનારાયણ સંપ્રદાયના કહેવાતા સાધુ સામે પગલાં લેવા જોઈએ. તેવી માંગણી સાથે અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા દ્વારા જામનગરમાં જિલ્લા પોલીસ વડા સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
સંસ્થાના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોવુભા કાથડજી જાડેજાની આગેવાનીમાં જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવાયું હતું. જેમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે, સનાતન ધર્મ વિશે ટિપ્પણી કરવામાં આવે છે. પોતાનો ધર્મ સાથે અને અન્યનો ઘરમ નિમ્ન બતાવવામાં આવી રહ્યો છે.
સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ બ્રહ્મસ્વરૃપદાસજી સ્વામી પોતાની કથામાં ચલાલાના દાનબાપુ, સત્તાધારના આ૫ા ગીગા વગેરેની ગુરુ ગાદી સ્થાન એટલે ગેબી નાનજી બાપુની જગ્યા આવા સિદ્ધ પુરુષ વિશે બ્રહ્મસ્વરૃપ દાસજી એલફેલ શબ્દો બોલ્યા છે. જે અયોગ્ય છે. નાથ સંપ્રદાય એ શિવનો અનાદિકાળથી આરાધક છે. આથી બફાટ કરનારાઓને કાબૂમાં લાવવા જોઈએ અને તેના નિરાકરણ માટે યોગ્ય પગલાં લેવા જોઈએ.
આ આવેદન પત્ર પાઠવતા સમયે સંસ્થાના મહામંત્રી ચંદ્રવિજયસિંહ રાણા, ઘનશ્યામસિંહ સોઢા, સંરક્ષક પી.આર. જાડેજા પણ જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial