Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સીપીઆર હૃદયમાં લોહીનો પ્રવાહ વધારી જીવ બચાવશેઃ
જામનગર તા. ૬ઃ સીપીઆર જીવન બચાવવાની પદ્ધતિ છે. જે હાર્ટ એટેક અથવા કાર્ડિયાક એરેસ્ટથી પીડિત દર્દીનું જીવન બચાવી શકે છે, પરંતુ સીપીઆર આપવા માટે યોગ્ય માહિતી હોવી પણ જરૃરી છે.
આ અંગે જામજોધપુર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ધુનડા હેઠળ આવતા સોનવાડિયા ગામના લોકોને સીપીઆર માટે તાલીમ આપવામાં આવી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એચ.એચ. ભાયા અને તાલુકા હેલ્થ ઓફિસર ડો. અલ્તાફ વસનાણી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ધુનડાના મેડિકલ ઓફિસર ડો. મહેશ ગરસરના માર્ગદર્શન હેઠળ સોનવાડિયા ગામની આંગણવાડી કેન્દ્ર પર ગામના લોકોને એકઠા કરી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર સોનવાડિયાના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર નિકુંજભાઈ મારૃ દ્વારા સીપીઆર અંગે તાલીમ આપવામાં આવી હતી.
જેમાં સૌથી પહેલા દર્દીને જમીન પર સુવડાવી તેની નાડી તપાસો. જો પલ્સ સતત ઘટે છે અને વ્યક્તિ બેભાન થઈ રહી છે તો તરત જ સીપીઆર આપવાનું શરૃ કરો. જેમાં પહેલા હાથને લોક કરવા અને બન્ને હાથને એકબીજા પર રાખી અને આંગળીઓને એકબીજા સાથે જોડી દો. હાથ દર્દીની છાતિની મધ્યમાં રાખવા અને છાતિને કંપ્રેશ કરવાનું શરૃ કરો. દર્દી શ્વાસ ન લઈ શકે ત્યાં સુધી કંપ્રેશ કરવાનું ચાલુ રાખો. સીપીઆર હૃદયમાં લોહીનો પ્રવાહ વધારશે, જે દર્દીનો જીવ બચાવી શકે છે. આ અંગે વિગતવાર ગામના લોકોને સમજાવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા સોનવાડિયા ગામના આશા સરોજબેન રાઠોડે જહેમત ઊઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial