Advertisement
Author: નોબત સમાચાર

ભૂચર મોરીના નવા યુદ્ધ સ્મારકમાં જેશાજી ચૌહાણની પ્રતિમા સ્થાપવા રજુઆત

જામનગર તા.૬ઃ જામનગર જિલ્લાના ધ્રોલના ભૂચર મોરીના નવા યુદ્ધ સ્મારકમાં યુદ્ધના સેનાપતિ જેશાજી ચંગલજી ચૌહાણની પુર્ણ કદની પ્રતિમાની સ્થાપના કરવા રાજપુત ઉત્કર્ષ સંઘના પૂર્વ વહીવટદાર ભૂપતસિંહ કે. ચૌહાણે જિલ્લા કલેકટરને વિસ્તૃત વિગતો સાથે આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે વજીર સમાજ નામની કોઈ જ્ઞાતિ કે સમાજ છે જ નહીં. નવાનગર સ્ટેટના સમયે રાજ દિવાન પદે રહેલા વજીર તરીકે ઓળખાતા હતાં. જે તે સમયે તે તેમની પદવી હતી. આ પદવી તેના જ્ઞાતિ કે સમાજને લાગુ પડતી નથી. ભૂચર મોરીના મહાયુદ્ધમાં વીરગતિ પામેલા જેશાજી ચંગલજી ચૌહાણ ક્ષત્રિય હતા, વજીર તેમનો માત્ર હોદો જ હતો, તેથી તેઓ જેશા વજીર તરીકે નવાનગરના રાજદિવાનપદે ઈતિહાસમાં જાણીતા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh