Advertisement
Author: નોબત સમાચાર

જી-ર૦ સમિટમાં ભાગ લેવા વિદેશી મહેમાનોનું આગમન શરૃઃ તડામાર તૈયારીઓઃ જડબેસલાક સુરક્ષા

નાઈજીરીયાના રાષ્ટ્રપતિ ટીનુબુ દિલ્હી પહોંચ્યા

નવી દિલ્હી તા.૬ઃ જી-ર૦ સમિટમાં ભાગ લેવા દિલ્હીમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે, અને વિદેશી નેતાઓનું આગમન શરૃ થઈ ગયું છે. નાઈજીરીયાના રાષ્ટ્રપતિ દિલ્હી પહોંચ્યા છે. મહેમાનોના સ્વાગત માટે દિલ્હી સજ્જ છે, તો જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવાઈ છે.

દિલ્હીમાં ૮ મી સપ્ટેમ્બરથી શરૃ થઈ રહેલી જી-ર૦ સમિટ માટે વિવિધ દેશોના રાષ્ટ્રધ્યક્ષોનું આગમન શરૃ થઈ ગયું છે. નાઈજીરિયાના રાષ્ટ્રપતિ બોલા અહેમદ ટીનુબુ આ સમિટમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચી ગયા છે. દિલ્હી પહોંચતા જ આરોગ્ય રાજ્ય મંત્રી એસ.પી. સિંહ બધેલે ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું. આ સાથે તેઓ આ સમિટમાં ભાગ લેનાર પ્રથમ વિદેશી નેતા બની ગયા છે. સુત્રોના જણાવ્યા અનુસાર ટીનુબુની મુલાકાત દરમિયાન ભારત અને નાઈજીરીયા વચ્ચે ઉચ્ચ સ્તરરીય વાતચીતની અપેક્ષા છે.

વિદેશ મંત્રાલયના પ્રવકતા અરિંદમ બાગચીએ (અગાઉ ટ્વીટર) પર લખ્યું જી-ર૦ સમિટ માટે આગમન શરૃ સમિટ માટે નવી દિલ્હી પહોંચનાર પ્રતિનિધિમંડળના પ્રથમ વડા છે. એમઓએસ એ તેમનું એરપોર્ટ પર સ્વાગત કર્યું. પદ સંભાળ્યા બાદ રાષ્ટ્રપતિ ટીનુબુની આ પ્રથમ ભારત મુલાકાત છે.

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન આ સમિટ માટે ગુરૃવારે નવી દિલ્હી જવા રવાના થશે. તેની પત્ની જીલ બાઈડેન તેની સાથે નહીં આવે. તેમનો કોવિડ-૧૯ ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે જો બાઈડેનનો કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ કારણે તેઓ માસ્ક પહેરીને જાહેર કાર્યક્રમોમાં ભાગ લેશે. અમે કોરોના પ્રોટોકોલના નિયમોનું પણ પાલન કરીશું.

બીજી તરફ દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય સમિટને ધ્યાનમાં રાખીને, દિલ્હી સરકારે (જી-ર૦ સમિટ દિલ્હી) ટ્રાફિક પ્રતિબંધો અંગે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું છે. ગેઝેટ નોટિફિકેશન અનુસાર, તમામ પ્રકારના માલસામાન વાહનો, વ્યાપારી વાહનો, આંતર-રાજ્ય બસો અને સ્થાનિક સિટી બસો, જેમ કે દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (ડીટીસી) બસો અને દિલ્હી ઈન્ટિગ્રેટેડ મલ્ટી મોડલ ટ્રાન્ઝિટ સિસ્ટમ (ડીઆઈએમટીએસ) બસો ૭ ની મધ્યરાત્રિએ અને ૮ સપ્ટેમ્બર મધરાતથી ૧૦ સપ્ટેમ્બર સુધી મથુરા રોડ (આશ્રમ ચોકથી આગળ) ભૈરોન રોડ, પુરાણા કિલા રોડ અને પ્રગતિ મેદાન ટનલની અંદર કોઈ હિલચાલ થશે નહીં. દિલ્હીમાં જડબેસલાક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે.

ગેઝેટ નોટિફિકેશન અનુસાર, ભારે માલસામાનના વાહનો, મધ્યમ માલસામાનના વાહનો અને હળવા માલસામાનના વાહનોને ૭ સપ્ટેમ્બર ર૦ર૩ ના રાત્રે ૯ વાગ્યાથી રાત્રે ૧૧.પ૯ વાગ્યા સુધી ચાલવાની મંજુરી આપવામાં આવશે. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૩ ના રોજ દિલ્હીમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. દૂધ, શાકભાજી, ફળો, તબીબી, પુરવઠો વગેરે જેવી આવશ્યક ચીજવસ્તુઓ વહન કરતા માલસામાનના વાહનોને નો-એન્ટ્રી પરમિશન સાથે દિલ્હીમાં પ્રવેશવાની મંજુરી આપવામાં આવશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh