Advertisement
Author: નોબત સમાચાર

સળગી ગયેલી મોટરનો ક્લેઈમ નામંજૂર થતાં ફોરમમાં થઈ રાવ

મોરબી પાસે મોટરમાં લાગી આગઃ

જામનગર તા. ૬ઃ જામનગરના એક આસામીની મોટરમાં અગિયાર મહિના પહેલા મોરબી ધોરીમાર્ગ પર આગ લાગી હતી. તેમાં મોટર ખાખ થઈ જતાં વીમા કંપનીને જાણ કરાઈ હતી. કંપનીએ વળતર ચૂકવવાનો ઈન્કાર કરતા તેની સામે ગ્રાહક તકરાર ફોરમમાં ફરિયાદ કરાઈ છે.

જામનગરના હમીરભાઈ દાનાભાઈ ચાવડાએ પોતાની વર્ના મોટર માટે બજાજ એલિયાન્સ વીમા કંપની પાસેથી વીમો મેળવ્યા પછી પોલિસી ચાલુ હતી ત્યારે તેઓની મોટરમાં મોરબી નજીક આગ ભભૂકી હતી.

આગના કારણે મોટર સળગીને ખાખ થઈ ગઈ હતી. તેથી હમીરભાઈએ વીમા કંપનીને જાણ કરી વળતર માગતા વીમા કંપનીએ વળતર ચૂકવવાનો ઈન્કાર કર્યાે હતો. આથી વીમા કંપની સામે રૃા.૫,૨૨,૬૪૭નું વળતર મેળવવા જામનગર ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ કરાઈ છે. ફરિયાદી તરફથી વકીલ ભાર્ગવ મહેતા રોકાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh