Advertisement
Author: નોબત સમાચાર

એસપીજીના વડા અરૃણકુમાર સિન્હાનું નિધન

વડાપ્રધાનની સુરક્ષા સંભાળતા

નવી દિલ્હી તા. ૬ઃ દેશના વડાપ્રધાનની સુરક્ષાની જવાબદારી સંભાળતા એસપીજીના નિર્દેશક અરૃણકુમાર સિન્હાનું નિધન થયું છે.

સ્પેશિયલ પ્રોટેક્શન ફોર્સના નિર્દેશક અરૃણકુમાર સિન્હાનું નિધન થઈ ગયું છે. તેમણે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતાં. એસપીજી દેશના વડાપ્રધાનની સુરક્ષાની જવાબદારી સંભાળે છે. તેઓ ૧૯૮૮ કેરળ ફેડરના આઈપીએસ અધિકારી હતાં. તાજેતરમાં જ તેમના કાર્યકાળમાં એક વર્ષનો વિસ્તાર અપાયો હતો.

અરૃણકુમાર સિન્હા ર૦૧૬ થી એસપીજીના ચીફ પદે તહેનાત હતાં. તેમને લીવરમાં તકલીફ હતી અને ૪ સપ્ટેમ્બરે તેમને મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. અહીં બુધવારે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા છે.

સિન્હાએ તેમનો અભ્યાસ ઝારખંડમાં કર્યો હતો. તે કેરળ પોલીસમાં અનેક મહત્ત્વપૂર્ણ પદો પર રહ્યા હતાં. તેમણે ડીસીપી, કમિશનર, રેન્જ આઈજી, ઈન્ટેલિજન્સ આઈજી અને એડમિનિસ્ટ્રેશન આઈજી જેવા પદો પણ સંભાળ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh