Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સરકારી કાર્યક્રમોમાં સ્વખર્ચે પહોંચી એન્કરીંગ કરે છે!
જામનગર તા. ૬ઃ શિક્ષકો એ નળીઓ છે જેના દ્વારા જ્ઞાન વહે છે. જટિલ વિચારોને સરળ બનાવવાની અને શિક્ષણને આકર્ષક બનાવવાની તેમની ક્ષમતા જ્ઞાનની તરસ કેળવવામાં મહત્ત્વપૂર્ણ છે. શિક્ષકો જિજ્ઞાસાને ઉત્તેજિત કરે છે. મહત્ત્વાકાંક્ષાને પ્રેરિત કરે છે અને વિદ્યાર્થીઓને મોટા સપના જોવા માટે પ્રોત્સાહિત કરે છે. શિક્ષકોનું સમાજમાં મોટું યોગદાન રહ્યું છે.
જામનગરના શિક્ષક હરિદેવભાઈ ગઢવી વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાની સાથે જિલ્લા વહીવટી તંત્રને પણ નિઃસ્વાર્થ ભાવે છેલ્લા ૧૩ વર્ષથી મદદરૃપ થતા આવ્યા છે. જિલ્લામાં યોજાતા સરકારી કાર્યક્રમોમાં તેઓ વિનામૂલ્યે સ્વખર્ચે કાર્યક્રમ સ્થળે પહોંચીને એન્કરીંગ કરે છે. જામનગર તાલુકાની આમરા કન્યશાળામાં ફરજ બજાવતા હરિદેવભાઈ શિક્ષક હોવાથી તેમની ફરજ તો શિક્ષણ આપવાની છે, પરંતુ તેઓએ શિક્ષણ સાથે પોતાનો આ શોખ પણ અવિરત રાખ્યો છે. હરિદેવભાઈ જણાવે છે કે, તેઓને બાળપણથી જ સ્ટેજ પર જવાનો ઘણો શોખ હતો, પરંતુ તેઓ શિક્ષક બન્યા છતાં પોતાના શોખને જાળવવા માટે સરકાર અને જિલ્લા વહીવટી તંત્રને મદદરૃપ થવાના હેતુથી જિલ્લાના સરકારી કાર્યક્રમોમાં સંચાલક તરીકે કામગીરી કરે છે અને સરકારને વધુમાં વધુ કઈ રીતે મદદરૃપ થઈ શકાય તે પ્રકારે તેઓ આયોજન કરે છે. જિલ્લામાં યોજાતા નાના-મોટા સરકારી કાર્યક્રમોથી માંડીને રાજ્યકક્ષાના કાર્યક્રમોમાં તેમની શબ્દોરૃપી કળા અવશ્ય સાંભળવા મળે. તેમણે ક્યારેય ટ્રાવેલીંગ અલાઉન્સ કે મોંઘવારી ભથ્થું લીધું નથી. તેઓએ પોતાની શિક્ષણ અને બોલવાની કળાનો લાભ હંમેશાં સમાજને પીરસ્યો છે. એટલે જ તો કહેવાય છે કે શિક્ષક એ જ્ઞાનરૃપી ભંડાર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial