Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તસ્કરે ચાવી શોધી કાઢી કબાટ ખોલી નાખ્યો!
જામનગર તા. ૬ઃ જામનગરના કાલાવડ નાકા બહાર આવેલા એક મકાનમાં બે સપ્તાહ પૂર્વે ઘૂસેલા કોઈ તસ્કરોએ સોના-ચાંંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરી છે.
જામનગરના કાલાવડ નાકા બહાર આવેલી મહાપ્રભુજી બેઠક નજીકના સવીતાબેન અમૃતલાલ ખાણધર નામના મહિલાના મકાનમાં ગઈ તા.૨૧ની બપોરે એક વાગ્યાથી સાંજના સાડા છ વાગ્યા દરમિયાન કોઈ તસ્કરો ઘૂસી ગયા હતા.
તસ્કરોએ જયંતિભાઈ ખાણધરના ઓરડાનો દરવાજો તોડી પ્રવેશ મેળવ્યા પછી અંદરથી ચાંદીની લક્કી, બંગડી, ચાંદીનો ચેઈન, સોનાના બુટીયા ઉઠાવ્યા હતા.
તે પછી ત્યાં પડેલી ચાવીથી સવિતાબેનના સાસુના ઓરડામાં રાખવામાં આવેલા લોખંડનો કબાટ ખોલી નાખી તેમાંથી ચાંદીના સાંકળા, કંદોરા, વીટી અને રૃા.૪૦ હજાર રોકડા મળી કુલ રૃા.૪૮૨૦૦ની મત્તાની ચોરી કરી લીધી હતી. આ બાબતની સવિતાબેને ગઈકાલે સિટી-એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પીઆઈ એન.એ. ચાવડાની સૂચનાથી પીએસઆઈ વી.આર. ગામેતીએ ગુન્હો નોંધી તસ્કરોના સગડ દબાવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial