Advertisement
Author: નોબત સમાચાર

નિઃશુલ્ક નેચરોપેથી ક્લિનિકનો પ્રારંભઃ હેલ્થ ચેકઅપ

જામનગર તા. ૬ઃ શ્રી જલારામ સેવા ટ્રસ્ટ હાપા સંચાલિત દયાબેન પરસોત્તમભાઈ રાયઠઠ્ઠા ટ્રસ્ટ તથા માનવ સેવા કેન્દ્રના સહયોગથી શુક્રવારે તા.૧-૯થી નિઃશુલ્ક નેચરોપેથી ક્લિનિકનો પ્રારંભ થયો છે. જેમાં ડો. ગુલશનલાલ સેવા આપી રહ્યા છે. સોમવારથી શનિવાર સવારે ૮થી ૧૦ સુધી હેલ્થ ચેકઅપ કરવામાં આવશે. આ સેવાનો લાભ લેવા માટે તરૃબેન પી. રાયઠઠ્ઠા 'તુલસી' જેકુરબેન સોની કન્યા વિદ્યાલય સામે સર્વોદય સોસાયટી બ્લોક નં.૧, કૃષ્ણનગર મેઈન રોડ, જામનગરનો સંપર્ક કરવો. જ્યારે વત્સ નેચરોપેથી હેલ્થ કેર એન્ડ યોગા સેન્ટરમાં સોમવારથી શનિવાર સુધી સવારે ૧૦ઃ૩૦થી ૧ઃ૩૦ અને સાંજેે ૪થી ૮ઃ૩૦ કલાક સુધી સરૃ સેક્શન રોડ, એમ.પી. શાહ ઉદ્યોગનગર એ-૮, જામનગરમાં પણ આ સેવા સુવિધાનો લાભ મળશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh