Advertisement
Author: નોબત સમાચાર

ગેસ સ્ટેશન પર આતંકવાદી હુમલોઃ વહીવટી તંત્રની મોકડ્રીલ

બોમ્બ નિષ્ક્રિય બનાવાયોઃ આતંકવાદીની કરાઈ અટકાયતઃ

જામનગર-લાલપુર ધોરીમાર્ગ પર આવેલા ચેલા ગામ પાસેના ગુજરાત ગેસ સ્ટેશન પર આતંકવાદી હુમલો થયાની અને ગેસ લિકેજ થઈ રહ્યો હોવાની વિગતો ગુજરાત ગેસના અધિકારીએ પોલીસ કંટ્રોલરૃમને આપ્યા પછી જામનગર મહાનગરપાલિકાની ફાયરબ્રિગેડની ટીમ ઉપરાંત મ્યુચ્યુઅલ એઈડની કંપની પૈકીની જીએસઈસીએલ, આઈઓસીએલ, બીપીસીએલ, નયારા એનર્જીની ટીમો દોડી આવી હતી. ત્યાં આતંકવાદીઓના રહેલા વાહન તેમજ આતંકવાદીને ઘેરી લેવામાં આવ્યો હતો. તેને કૂનેહપૂર્વક ઝબ્બે લેવાયા પછી તેના વાહનમાંથી મળી આવેલા બોમ્બ જેવા પદાર્થને નિષ્ક્રિય કરી નાખવામાં આવ્યો હતો. તે પછી આ કાર્યવાહી મોકડ્રીલના ભાગરૃપે કરવામાં આવી હોવાનું જાહેર કરાયું છે. જિલ્લા કલેક્ટર બી.એ. શાહ, પ્રાંત અધિકારી પી.બી. પરમાર વગેરેએ માર્ગદર્શન આપ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh