Advertisement
Author: નોબત સમાચાર

ચેક પરતના કેસમાં આરોપીનો છૂટકારો

તારીખ વિત્યા પછી બેંકમાં રજૂ કરાયો હતો ચેકઃ

જામનગર તા. ૧૭ઃ જામનગરના એક આસામીએ ઉધારમાં સામાન ખરીદી તેની રકમ ચૂકવવા આપેલો રૃા.૧ લાખ ૩૦ હજારનો ચેક તારીખ વિત્યા પછી બેંકમાં રજૂ કરાયો હતો અને તે ચેક પરત થયો હતો. તે આસામી સામે કોર્ટમાં ચેક પરતની નોંેંધાવાયેલી ફરિયાદમાં કોર્ટે આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે. જામનગરની હિતેશ સ્ટીલ નામની પેઢી પાસેથી જયદીપ ફેબ્રીકેશનવાળા દિનેશ લાખાભાઈ ધુલીયાએ જુદા જુદા સમયે કેટલોક સામાન ઉધાર મેળવ્યા પછી રૃા.૧ લાખ ૩૦ હજારની રકમનો ચેક આપ્યો હતો. તે ચેકની તારીખ વિત્યા પછી હિતેશ સ્ટીલ દ્વારા તે ચેક બેંકમાં નાખવામાં આવતા અપૂરતા નાણા ભંડોળના શેરા સાથે ચેક પરત ફર્યાે હતો. આ બાબતે નોટીસ આપ્યા પછી અદાલતમાં દિનેશ ધુલીયા સામે નેગો. ઈન્સ્ટ્રુ. એક્ટની કલમ ૧૩૮ હેઠળ ફરિયાદ કરવામાં આવી હતી. તે કેસ ચાલવા પર આવતા આરોપીના વકીલે દલીલ કરી હતી કે, તે ચેક નિયત સમય મર્યાદા પછી બેંકમાં રજૂ કરાયો છે અને ફરિયાદી કાયદેસરનું લેણું પુરવાર કરી શક્યા નથી. અદાલતે તે દલીલ ગ્રાહ્ય રાખી આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ અજય પટેલ, ધર્મેન્દ્ર નડિયાધારા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh