Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરા દ્વારા
જામનગર તા. ૧૭ઃ રાજયના પ્રવાસન, સાંસ્કૃતિક વારસો, વન અને પર્યાવરણ તથા ક્લાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી મૂળુભાઈ બેરાએ જામનગર જિલ્લા પંચાયતના સભાખંડમાં માર્ગ અને મકાન વિભાગ તથા પંચાયત સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવી રહેલ કામો, તેમજ આગામી સમયમાં હાથ ધરવામાં આવનાર કામોની સમીક્ષા કરી જરૃરી સૂચનો આપ્યા હતાં. પંચાયત અને સિંચાઈ વિભાગ દ્વારા કરવામાં આવી રહેલ પરિસ્થિતિનો તાગ મેળવી મંત્રીએ નવા કાર્યોની તેમજ ચેકડેમ રિપેરીંગની કામગીરી, અમૃત સરોવરની આજુબાજુમાં બ્યુટિફીકેશનની કામગીરી અંગેની માહિતી મેળવી તમામ કામો યોગ્ય રીતે સુચારૃ આયોજન સાથે હાથ ધરવામાં આવે તે પ્રકારે કામગીરી કરવા અધિકારીઓને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મૈયીબેન ગરસર, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, અગ્રણી રમેશભાઈ મુંગરા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ચૌધરી તેમજ અન્ય અધિકારીઓ હાજર રહ્યાં હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial